ગુજરાત સરકારે ફી વધારાની સાથે જન્મ મરણની નોંધણીની સમય મર્યાદા નક્કી કરી
ગુજરાત સરકારે જન્મ અને મરણની નોંધણી ફીમાં 27 ફેબ્રુઆરીથી અમલ કરી દીધો છે. હવે જનતાને આ સેવાનો લાભ લેવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે. અગાઉ મરણનો દાખલો મેળવવા માટે 5 રૂપિયા ફી હતી, જેને વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે જન્મના દાખલાની ફી 10 રૂપિયા હતી, જેને વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. જેની સીધી અસર આમ જનતા પર પડશે.
ગુજરાત સરકારે ફી વધારાની સાથે જન્મ મરણની નોંધણીની સમય મર્યાદા નક્કી કરી દીધી છે. હવે તમારે જન્મ કે મરણની નોંધણી 30 દિવસમાં કરાવવાની રહેશે. જો 30 દિવસ પછી નોંધણી કરાવશો તો તમારે લેટ ફી ચૂકવવી પડશે. પહેલાં લેટ ફી ફક્ત 10 રૂપિયા હતી, જેને વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જન્મ કે મરણ નોંધણીમાં એક વર્ષથી વધુ મોડું થાય છે તો 100 રૂપિયા ફી ચૂકવવી પડશે, આ ઉપરાંત ફરિયાત જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવી પડશે. આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.
જો કોઇ વ્યક્તિ જન્મ કે મરણની નોંધણી વખતે ખોટી માહિતી આપશે તો તેને 50 રૂપિયાથી માંડીને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. હવેથી જન્મ-મરણના પ્રમાણપત્રો ઇલેક્ટ્રોનિક અથવા અન્ય સ્વરૂપમાં આપવામાં આવશે, અને અગાઉ વપરાતો ‘નકલ’ શબ્દ હવે ‘પ્રમાણપત્ર’ તરીકે ઓળખાશે. આ ફેરફાર પ્રમાણપત્રોને વધુ અધિકૃત અને આધુનિક બનાવવાનો પ્રયાસ છે. આ નિયમોનો હેતુ સમયસર જન્મ અને મરણની નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે.સુધારેલ જન્મ-મરણ વિલંબ નોંધણી ફી (10 ગણો વધારો ):-
(1) મોડી નોંધણી નિયત સમયમર્યાદા બહાર પરંતુ 30 દિવસની અંદર :- 20/-
(2)30 દિવસથી ઉપર પરંતુ 1 વર્ષની અંદર :- 50/-
(3) 1 વર્ષથી ઉપરના બનાવ માટે :- 100/-