અમદાવાદઃગુજરાત હાઉસીંગ સોસાયટીના રહીશો લાંબા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી. આવામાં હવે હાઉસિંગ સોસાયટીના રહીશોના ફાયદાના ગુડ ન્યુઝ જલ્દી જ સામે આવી શકે છે. ગુજરાત હાઉસીંગ સોસાયટી જલ્દી જ એક નિર્ણય લેવા જઇ રહી છે કે, હાઉસીંગ બોર્ડે બનાવેલા મકાનમાં રહેતા લોકો ટૂંક સમયમાં નવા મકાનના માલિક બની શકે છે.
ગુજરાત હાઉસીંગ બોર્ડના નાગરિકો અનેક મુશ્કેલીઓ સામે લડી રહ્યા છે. એક તરફ મકાનો જર્જરીત બની રહ્યા છે અને તેમના રિડેવલપમેન્ટ અંગે અનેક અડચણો આવી રહ્યા છે. હાઉસિંગ બોર્ડના જુના મકાનોને નવા બનાવવા સરકાર દ્વારા યોજના તો લાવવામાં આવી છે. પરંતુ તેનો અમલ થઇ નથી રહ્યો. બીજી તરફ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં જે લોકોને મકાન ફાળવાય છે તે લોકો આ મકાનના માલિક બનતા નથી. માત્ર કબજેદાર ગણાય છે. આવામાં હવે ગુજરાત હાઉસીંગ બોર્ડે ટુંક સમયમાં જ એક મોટો નિર્ણય લે એવી હિલચાલ દેખાઇ રહી છે.
હાઉસીંગ બોર્ડના આ નિર્ણયનો ફાયદો અનેક રહીશોને મળશે. હાઉસીંગ બોર્ડમાં જેઓના જુના મકાન જુના છે અથવા ભવિષ્યમાં જેમને મકાન મળશે તે તમામ રહીશોને આ નિર્ણયથી મોટો ફાયદો થશે. હાઉસીંગ બોર્ડે બનાવેલા મકાનમાં રહેતા લોકો ટુંક સમયમાં નવા મકાનના માલિક બની જાય એવી સંભાવના સેવાઇ રહી છે. સાથે જ તેઓને જલ્દી જ તેમની જર્જરીત ઇમારતોની સામે નવી ઇમારતો મળી રહે તેનું પણ આયોજન ચાલી રહ્યું છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા મકાનોનું બાંધકામ સમયાંતરે ચાલતું રહ્યું છે. જો કે ગુજરાત હાઉસિંગ સોસાયટીની અનેક ઇમારતો જુની થઇ ગઇ છે જેના બાંધકામ માટે લાંબા સમયથી હિલચાલી થઇ રહી છે. હાઉસિંગ બોર્ડના મકાનોના રિડેવલપમેન્ટ માટે કેટલાક નિયમો પણ લાગુ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રી-ડેવલપમેન્ટ ઝડપથી થઇ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હકક અને દસ્તાવેજના થતા પ્રશ્ર્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફલેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલીસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે.
અનેક હાઉસીંગ બોર્ડના મકાનોનું રીડવપલમેન્ટ શક્ય નથી તેના અનેક કારણો છે પરંતુ મોટુ કારણ એ છે કે મોટાભાગના આવાસ ઝુંપડપટ્ટી તેમજ ગીચ વિસ્તારમાં છે. ઘણા આવાસની આસપાસ રોડ નવ મીટરના સાંકડા હોવાથી બિલ્ડરોને એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) પણ ઓછી મળતી હોવાથી ઉંચી ઇમારતો બનાવી શકતા નથી. તો કેટલાક વિસ્તારમાં બિલ્ડરોને ધારેલી કિંમત મળતી નથી જેના કારણે આવા આવાસોની કિંમત પોઝીટીવ ભરવાના બદલે નેગેટીવ એટલે કે માઇનસમાં ટેન્ડર ભરતા હોય છે.
આવી પરિસ્થિતિમાં સરકારે બિલ્ડરને રોકડા નહીં બલ્કે તબદીલીપાત્ર વિકાસના હક્કો (ટીડીઆર સર્ટી.) ચૂકવવા પડે. આમ સરકારને સરવાળે આર્થિક નુકસાન જાય છે. ઉપરથી રહેવાસીને ફલેટના માલિકી હક નહીં હોવાથી ફલેટ પ્રત્યે પોતાપણુ નહીં રાખતા જેથી ફલેટ જર્જરીત બનતા જઇ રહ્યા છે. હાઉસીંગ બોર્ડના મકાનોના રિ-ડેવલપમેન્ટમાં સરકારને મોટું નુકસાન જાય એમ છે તેથી જ હવે સરકાર આ અંગે મોટા નિર્ણયો લઇ ફલેટના માલિકી હકક આપવાનું વિચારી રહી છે.